દિવમાં કોરોનાના પગલે એક મહિના પહેલા માછીમારીની સીઝન બંધ કરાઈ
Live TV
-
કેન્દ્ર શાસીત પ્રદેશ દિવમાં કોરોનાના સંક્રમણના પગલે એક મહિના પહેલા માછીમારીની સીઝન બંધ કરવામાં આવી છે. સંધ પ્રદેશ દીવમાં મુખ્ય આજીવિકાનો સ્ત્રોત મત્સય ઉદ્યોગ છે. અહીયાં 1700 કરતા વધુ બોટ આવેલ છે આ બોટમાં કામ કરતા ખલાસીઓ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના છે. ગતવર્ષે માર્ચ મહિનામાં અચાનક લોકડાઉન થતાં ખલાસીઓને તેમના ઘરે મોકલવામાં ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ ઘણા ખલાસીઓ કોરોના થી સંક્રમિત બન્યાં હતાં. આવી નાની-મોટી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા દીવના તમામ માછીમાર સોસિએશને આ વર્ષે માછીમારીની સીઝન એક મહિના પહેલા બંધ કરી છે. ખલાસીઓને સલામતી સાથે પોતાના ગામ પહોંચે તે માટેનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
