ધો. 1-2ના બાળકોને નહીં અપાય ગૃહકાર્ય, સરકારે બહાર પાડ્યો પરિપત્ર
Live TV
-
કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલય દ્વારા બાળકોના ખભેથી ભારને હળવો કરવા અંગે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર તૈયાર કરી રાજ્યમાં આ દિશા નિર્દેશનોનો તાત્કાલિક અમલ કરવા માટેની કવાયત હાથ ધરાઈ છે.
આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સત્તામંડળની મંજૂરી વગર સ્વાધ્યાય તેમજ ધોરણ મુજબ ગૃહકાર્ય કરી શકાશે નહીં. ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓને ગૃહકાર્ય આપવામાં નહીં આવે.
