ધ્રાંગધ્રામાં લાંચિયો ઈજનેર એસીબીની સકંજામાં સપડાયો
Live TV
-
પેન્શન તથા હક્ક રજાના પુરવણી બીલો બનાવવા અગાઉ રૂપિયા ત્રણ હજાર આપ્યા હતા
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધ્રાના સરદાર સરોવર નર્મદા નિગમ સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ ડિવિઝન બે-એકના નિવૃત્ત હેડ કર્લાક પ્રતીકભાઈ રાઠવા પાસેથી લાંચ માંગનાર કાર્યપાલક ઇજનેર મહેશભાઈ પટેલ એસીબી રાજકોટે રંગેહાથ ઝડપી લીધા છે. પ્રતીકભાઈએ નિવૃત્તિ બાદ સાતમા પગારપંચ મુજબ પેન્શન તથા હક્ક રજાના પુરવણી બીલો બનાવવા અગાઉ રૂપિયા ત્રણ હજાર આપ્યા હતા. જોકે, વધુ બે હજારની માંગણી કરાતા પ્રતીક ભાઈએ એસીબીને જાણ કરતા સુરેન્દ્રનગર ખાતે પતરાવાળી હોટલ ખાતે છટકુ ગોઠવી તેમને ઝડપી લેવાયા હતા.
