નડિયાદમાં મહાગુજરાત હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી સેન્ટરનું ઉદ્ઘાટન
Live TV
-
મહાગુજરાત મેડિકલ સોસાયટીના પ્રમુખ દિનશા પટેલ, ચારુસેટ યુનિવર્સિટીના ચેરમેન સુરેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
સરકાર જ્યારે આરોગ્યલક્ષી સેવાઓ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરાવવા માટે પ્રયત્નશીલ છે.ત્યારે ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી મહાગુજરાત હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી સેન્ટરનું ઉદ્યાટન કરવામાં આવ્યું.આ પ્રસંગે મહાગુજરાત મેડિકલ સોસાયટીના પ્રમુખ દિનશા પટેલ, ચારુસેટ યુનિવર્સિટીના ચેરમેન સુરેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.તો આયુર્વેદિક સંસ્થામાં કુંદનબેન દિનશા પટેલ એકેડમિક બ્લોકનું નામકરણ કરવામાં આવ્યું હતું.આમ આરોગ્ય ક્ષેત્ર ત્રિવેણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે ચારુસેટ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર દેવાંગ જોગીએ કહ્યું કે નાણાના અભાવે વિદ્યાર્થીઓનું શિક્ષણ અને દર્દીઓનો ઉપચાર ન બગડે, ઉપરાંત નાતજાતના ભેદભાવ વિના શિક્ષણ મળી રહે તે અમારો મુખ્ય હેતુ છે. ચારુસેટના મંત્રી એમ.સી.પટેલ, એસ.પી.યુનિવર્સિટીના સ્થાપક ભાઈ કાકા અને ભીખાભાઈને યાદ કરીને ચરોતર પ્રદેશને ચરોતર નોલેજ કોરિડોર બનાવવા આહવાન કર્યું હતું
