નર્મદાઃ પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગદગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 547મા પ્રાગટ્ય દિવસની કરાઈ ઉજવણી
Live TV
-
નર્મદાઃ પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગદગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 547મા પ્રાગટ્ય દિવસની કરાઈ ઉજવણી
પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગદગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 547મો પ્રાગટ્ય દિવસ નર્મદા જિલ્લાના રાજપીપળાની શ્રીનાથજી હવેલી ખાતે ધામધૂમથી ઉજવાયો હતો. શ્રીનાથજી હવેલી રાજપીપલા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્ર્મો યોજાયા હતા.
પ્રાગટ્ય દિવસે રાજપીપળાના વૈષ્ણવ સમાજ દ્વારા સવારે છ કલાકે શ્રીનાથજી હવેલીથી ભગવાનના નામ સ્મરણ સાથે ભવ્ય પ્રભાતફેરી નીકળી હતી. સંધ્યાકાળે શ્રી મહાપ્રભુજીની શોભાયાત્રા નીકળી હતી. જેમાં શહેરના વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.