નર્મદાના અંતરિયાળ વિસ્તારમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ અને ભોજન સામગ્રીનું દાન આપવામાં આવ્યું
Live TV
-
કોરોનાની મહામારી એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે આ સમય દરમિયાન કેટલાય લોકોએ પોતાના સ્વજનોની સાથે રોજગારી પણ ગુમાવી છે. નર્મદા જિલ્લાની વાત કરવામાં આવે તો અત્યંત પછાત અને અંતરિયાળ વિસ્તારમાં રોજગારી ગુમાવનાર અસંખ્ય લોકોને દાતાઓ તરફથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપરાંત ભોજન સામગ્રીનું દાન આપવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે પણ આવા લોકોની વ્હારે મૂળ રાજપીપળાના પરંતુ હાલ અમેરિકામાં સ્થાયી થયેલ અસિતભાઈ બક્ષી આવ્યા છે. અમેરિકામાં રહેવા છતાં તેમને તેમના માદરે વતન રાજપીપળામાં જરૂરિયાત વાળાઓ માટે ખાસ શ્રીકૃષ્ણ મિરેકલ નામની એક હવેલી બનાવી છે. જેમાં તેમના મિત્ર દ્વારા જરૂરિયાત વાળા આદિવાસી વિસ્તારના રહીશોને અનાજની કીટ બનાવીને આપવામાં આવે છે.
