નીતિન પટેલેની રાજ્યના ખેડૂતો અને પશુપાલકોને નર્મદાનું પાણી મળે તે માટે જાહેરાત
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યના ખેડૂતો અને પશુપાલકો માટે મહત્વની જાહેરાત કરી છે. આ અંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ઉનાળાની સિઝનમાં પાણીની જરૃરિયાત સંતોષવા માટે 30 જૂન સુધી નર્મદાની નહેરો, ફતેવાડી, સુજલામ સુફલામ, ખારી કટ કેનાલ અને સૌની યોજનામાં જરૃરિયાત મુજબ નર્મદાનું પાણી આપવામાં આવશે. આ સાથે નાયબ મુખ્યમંત્રીએ સરદાર સરોવર નર્મદા બંધમાં આજ રોજ 123.38 મીટર લેવલ પાણીના જથ્થાનો સંગ્રહ થયેલો હોવાની માહિતી પૂરી પાડી હતી.
