મધ્ય અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા 16 મે ના રોજ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકી શકે
Live TV
-
મધ્ય અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા 16 મે ના રોજ રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આ એલર્ટ તકેદારીના ભાગરૂપે આપવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે વાવાઝોડાથી કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. વાવાઝોડાની અસરરૂપે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો આ અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સંભવિત વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરોને કોવિડ પ્રોટોકોલ સાથે તૈયારી કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
