પાક વિમાનો ટોલ ફ્રી નંબર બંધ મામલે સરકારે કંપનીઓને કરી તાકીદ
Live TV
-
કેટલીક કંપનીઓની એવી રજૂઆત હતી કે સર્વર ડાઉન હોવાને કારણે અમે કોલ એટેન્ડ કરી શકયા નથી.
રાજ્યમાં અતિ વૃષ્ટિને લઈને ખેડૂતોના પાક નિષ્ફળ જવાને લીધે સરકારે જાહેર કરેલા વીમા કંપનીના ટોલ ફ્રી નંબર બંધ આવતા હોવાની ફરિયાદ અંગે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું હતું કે. ખેડૂતોની ફરિયાદને લઈને સરકારે વીમા કંપનીને ઈમેલ દ્વારા તાકીદ કરી છે.
ખેડૂતોના અત્યાર સુધીમાં ૨૬૭૨ કોલ રિસીવ કરાયા છે. કેટલીક કંપનીઓની એવી રજૂઆત હતી કે સર્વર ડાઉન હોવાને કારણે અમે કોલ એટેન્ડ કરી શકયા નથી. જો ખેડૂતોને સર્વર ડાઉન હોવાને લીધે કોઇ તકલીફ પડી હોય ્તો જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કોમન સર્વિસ સેન્ટરમાં પણ ફરિયાદ નોધાવી શકાશે.
સરકારે કહ્યું કે, અમે વર્કિેગ ડે ગણવા વીમા કંપનીઓને અપીલ કરી છે. વીમા કંપનીઓ ને ટોલ ફ્રી નંબર પર અરજી કરવાની તારીખ ૩ નવેમ્બર સાંજે સાડા છ સુધી રહેશે.
