પાણી મુદ્દે મધ્યપ્રદેશ અને ગુજરાત સામ સામે
Live TV
-
મધ્યપ્રદેશ નર્મદામાંથી ગુજરાતને પાણી નહીં આપવાની ચીમકી ઉચ્ચારી છે.. જેને લઇને બંને રાજ્યો વચ્ચે હાલ વાટાઘાટ ચાલી રહી છે..
ફરી એક વખત મધ્ય પ્રદેશ અને ગુજરાત રાજ્ય ,નર્મદાના પાણી મુદ્દે ,સામ સામે આવી ગયા છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ગુજરાતને મળતું નર્મદાનું પાણી બંધ કરવાની ચીમકી આપી છે.. ગુજરાતે તેના ક્વોટામાંથી નર્મદાનું પાણી વધુ વાપર્યુ છે. જોકે નિયમ પ્રમાણે ગુજરાતને પાણી મળશે તેવું મધ્યપ્રેદશના મુખ્યમંત્રી કમલનાથે જણાવ્યું છે. તો બીજી બાજુ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, નર્મદાનું પાણી ગુજરાતને પહોચાડવા સરકાર કટીબદ્ધ છે. આ સાથે ખેડૂતોને સિંચાઈ માટે પુરતુ પાણી મળી રહેશે આ સાથે જાહેર જનતાને પાણીના ટીપે ટીપાનો હિસાબ રાખવા જાહેર જનતાને અપિલ કરી છે
