રાજકોટમાં મુખ્યમંત્રીએ મનપા અને RUDAના વિકાસ કાર્યોનું કર્યુ લોકાર્પણ
Live TV
-
રાજકોટ શહેરમાં આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મહાનગરપાલિકા અને રૂડા ના કુલ 222 કરોડના વિકાસ કર્યો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
રાજકોટ શહેરમાં આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મહાનગરપાલિકા અને રૂડા ના કુલ 222 કરોડના વિકાસ કર્યો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. સૌ પ્રથમ આધુનિક લાયબ્રેરીનું લોકાર્પણ , શાળા નંબર 88, 49 ના બિલ્ડીંગ નું લોકાર્પણ , મૌડી નજીક ભારત નગર ખાતે બનેલા 314 આવાસ, 20 દુકાનનું લોકાર્પણ , કસ્તુરબા ગાંધી વિદ્યાલય , જે.જે.પાઠક શાળા નંબર 19 ના નવા બિલ્ડીંગ નું ખાત મુહરત , રૂડાના નવા બનનારા 1118 આવાસ નું ખાતમુહૂર્ત , કોઠારિયા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ,રૈયા ખાતે બનેલ સ્કાડા આધારિત પ્રોજેક્ટ નું લોકાર્પણ સહિત વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.જળ સંગ્રહ માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેવું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું હતું.
