પાલીતાણા ખાતે પારણા અને બહુમાન કાર્યક્રમ
Live TV
-
જૈનોના પવિત્ર ધામ ,પાલીતાણા ખાતે ,જૈન મહાત્મા સર્વેશ્વરીયશાશ્રી દ્વારા થયેલા સંવત્સર મહાતપ અંતર્ગત 480 દિવસના ઉપવાસ બાદ પારણાનો કાર્યક્રમ યોજાઈ ગયો. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તેમના પત્ની અંજલિબેન તેમજ સુનિલ ઓઝા ,સ્થાનિક ધારાસભ્યો, અને અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. મૂળ બગસરાના અને હાલ નાગપુર રહેતા અમર સ્વરૂપ પરિવાર દ્વારા સર્વેશ્વરીયશાશ્રીજી ની તપસ્યાના અનુમોદના કાર્યક્રમનું આયોજન થયું હતું., આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા વિજયરાજસુરીશ્વરનું બહુમાન કરવા માં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પાલીતાણાની ધરતી પર આ તપથી ગુજરાત પાવન થયું છે.
