બાળકી પર થયેલા દુષ્કર્મ સંદર્ભે રાજય સરકાર અત્યંત સંવેદનશીલ
Live TV
-
ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે સગીર બાળકી પર થયેલા દુષ્કર્મ સંદર્ભે રાજય સરકાર અત્યંત સંવેદનશીલ છે અને કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ઘટનાની જાણ થતા જ ત્રણેય જગ્યાએ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવીને તપાસની કાર્યવાહી પૂર જોશમાં હાથ ધરવામાં આવી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સુરત અને રાજકોટ ખાતેના બનાવમાં આરોપીઓની ધરપકડ કરાઈ છે તેમજ વડોદરા ખાતેના બનાવમાં શંકમંદોની અટકાયત કરીને તપાસની કાર્યવાહી ચાલુ છે. તેમણે જણાવ્યું કે, ભોગ બનનારને સહાયરૂપ થવા, તમામ કેસોને ફાસ્ટટ્રેક બોર્ડ પર ચલાવવા ગુજરાત હાઈકોર્ટને વિનંતી કરાશે , તેમજ પેરવી ઓફિસરની સેવાઓ પણ અપાશે.