બોટાદઃ સાળંગપુર મંદિરમાં પુષ્પ દોલોત્સવની ધામધુમથી કરાઈ ઉજવણી
Live TV
-
બોટાદઃ સાળંગપુર મંદિરમાં પુષ્પ દોલોત્સવની ધામધુમથી કરાઈ ઉજવણી
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ તીર્થભૂમિ સારંગપુરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયથી પુષ્પદોલોત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાય છે. દર વર્ષે ધુળેટી પર્વના દિવસે ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ મહંત સ્વામીની તબિયત ના તંદુરસ્ત ના કારણે 21 એપ્રિલ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર તીર્થ સારંગપુર ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂજય મહંત સ્વામી ની પ્રેરક ઉપસ્થિતિમાં પુષ્પદોલોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પુષ્પદોલોત્સવની વિરાટ સભા યોજાઈ હતી. જેમાં સંતો દ્વારા વર્ષોથી ઉજવાતો પુષ્પદોલોત્સવ વિશે ભકતોને માહિતગાર કર્યા હતા. ઉપસ્થિત સૌ ભક્તો ભગવાન તથા ગુરુના ચરિત્રોનું સ્મરણ કરીને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સંગે ભક્તિ તથા જ્ઞાનના રંગે રંગાયા હતા.
મહોત્સવમાં દેશ વિદેશમાંથી 75 હજાર હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તમામ કેસુડાના રંગમાં રંગાયા હતા. આ ઉત્સવમાં હજારો ની સંખ્યામાં આવનાર ભક્તો માટે 6000 જેટલા સ્વંયમ સેવકો દ્રારા જુદા જુદા 30 વિભાગો માં પોતાની સેવા આપી હતી. ત્યારે આજે પણ મહંતસ્વામી માં પ્રમુખ સ્વામી ની અનુભૂતિ સાથે સાક્ષાત્કાર પ્રમુખ સ્વામી હાજર હોય તેવી અનુભૂતિ સાથે તમામ હરિભક્તો, સંતો સહિત સેવકો એ આધ્યાત્મિક ભાવ સાથે પુષ્પ દોલત્સવ ની કરી ઉજવણી.