બોર્ડની પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા પરીક્ષા કેન્દ્રો CCTV કેમેરાથી સજ્જ
Live TV
-
ધોરણ-૧૦ અને ધોરણ-૧રની બોર્ડની પરીક્ષા તા.૧૪ થી ૨૬ ફેબ્રુઆરી-ર૦ર૦ અને તા. પ થી ૨૧ માર્ચ- ર૦ર૦ દરમિયાન લેવાનાર છે ત્યારે આ પરીક્ષાઓમાં કોઈપણ જાતની ગેરરીતી ન થાય ઉપરાંત શાંતિમય વાતાવરણમાં નિશ્ચિંતતાપૂર્વક પરીક્ષાઓ આપી શકે તે માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરાયેલા આયોજનની સમીક્ષા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠકમાં કરવામાં આવી હતી. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ-૧૦ અને 12ની પરીક્ષાઓમાં કુલ 20.05 લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા ૬૪,૦૦૦ જેટલા પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે. 31 માર્ચના રોજ ગુજકેટની પરીક્ષા લેવાશે. અને ધોરણ-૧ર ની પ્રેકટીકલ પરીક્ષા તા.૧૪ થી ર૬ ફેબ્રુઆરી-ર૦ર૦ દરમિયાન લેવાશે