ભરૂચમાં 'મુખ્યમંત્રી સિટી બસ સેવા'નું કરવામાં આવ્યું ઈ-લોકાર્પણ
Live TV
-
મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કુલ 12 CNG નૉન-AC બસોનું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ
ભરૂચ નગરપાલિકામાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કુલ 12 CNG નૉન-AC બસોનું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 'મુખ્યમંત્રી સિટી બસ સેવા'નું ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈ-લોકાર્પણ કર્યું હતું.
ઈ-લોકાર્પણમાં કોણ રહ્યું હાજર?
આ ઇ-લોકાર્પણ પ્રસંગે ભરૂચ ખાતે ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા કલેક્ટર ડૉ. મીડિયા, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત નગરપાલિકાના પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
