મગફળી ખરીદીમાં પારદર્શી વ્યવસ્થા કરાઈઃ CM વિજય રૂપાણી
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે, કે રાજ્યમાં ખેડૂતોની મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટેની સંપુર્ણ પારદર્શી વ્યવસ્થા સરકારે ગોઠવી છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ, કે આ વર્ષે નાણાકીય પુરવઠા નિગમને મગફળી ખરીદીની જવાબદારી સોંપી છે.
APMC માં પણ ખેડૂતોનો સમય ન બગડે તેનું ધ્યાન રાખવામાં આવે છે, તેમજ ગુણવત્તાની અને વજન તોલમાપની પણ ચોક્સાઈ રાખવામાં આવે છે. મુખ્યમંત્રીએ નાફેડને અનુરોધ કર્યો હતો, કે સાચા ખેડુતોનો સાચો અને સારો માલ રહી ન જાય તે માટે નાફેડ સાથ આપે.
તેમણે વધુમાં ઉમેર્યુ હતું, કે છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં 122 કેન્દ્રો પરથી 53 હજાર કિવન્ટલથી વધુ મગફળી ખરીદવામાં આવી છે. અને સોમવારથી આ ખરીદીમાં વધુ ઝડપ આવે તે માટે પણ સુચના આપવામાં આવી છે.
