મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વડોદરા ખાતે જાહેર સભાને સંબોધી
Live TV
-
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વડોદરા ખાતે જાહેર સભાને સંબોધી હતી. સંબોધનમાં વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડને લીધે ડો બાબા સાહેબ આંબેડકર ભણી શક્યા અને દેશનું બંધારણ ઘડી શક્યા તેમ કહી ને તેમણે બન્ને ને યાદ કર્યા હતા.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વડોદરા ખાતે જાહેર સભાને સંબોધી હતી. સંબોધનમાં વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડને લીધે ડો બાબા સાહેબ આંબેડકર ભણી શક્યા અને દેશનું બંધારણ ઘડી શક્યા તેમ કહી ને તેમણે બન્ને ને યાદ કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે આ ચૂંટણી ગલીની નથી દિલ્હીની ચૂંટણી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબો માટે ઘણાં કામો કર્યા છે. તેમણે કોંગ્રેસ પરિવાર પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ચાર પેઢીએ દેશની ગરીબીની વાતો કરી છે. ગરીબી હટાવવા માટે કોઈ નક્કર કામો કર્યા નથી. તેમણે ઉમેર્યું હતું કે બીજેપીની સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગરીબો માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. તેનો સીધો ફાયદો ગરીબો ને થયો છે, અને સબસીડી તેમના ખાતામાં જમા થાય છે. સરકારે વચેટીયાઓ ને ખતમ કરી દીધા છે.