મહિસાગરના કડાણા-ભાદર ડેમમાં પાણી છોડાયું, ખેડૂતોને રાહત
Live TV
-
મહીસાગર જિલ્લાના ખાનપુર, લુણાવાડા અને વીરપુર તાલુકાના ખેડૂતોને શિયાળામાં ઘઉં, ચણા અને પશુ માટે ઘાસચારો કરી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કડાણા અને ભાદર ડેમનું પાણી એકત્ર કરી ભાદર કેનાલમાં પાણી છોડાવામાં આવ્યું છે. જેનાથી લુણાવાડા ખાનપુર અને વીરપુરમાં અંદાજિત આઠ હજાર ખેડૂતોને છ હજાર હેકટર જમીનમાં સિંચાઈની સુવિધા મળી રહેશે.
જેના કારણે ખેડૂતોને રવિ પાક માટે પૂરતું પાણી મળી રહેશે. અને પશુ માટે ઘાસચારો ઉગાડી શકશે. ભાદર કેનાલમાં પાણી છોડતા ખેડૂતમાં ખુશી છવાઈ હતી અને સરકારના પાણી છોડવાના નિર્ણયને આવકાર્યો હતો.
