મહિસાગર જિલ્લામાં રોજગાર ભરતી મેળાનું આયોજન
Live TV
-
રોજગારવાંછુઓને ખાનગી ક્ષેત્રમાં જિલ્લા કક્ષાએ વ્યાપક તકો મળે તેવા ઉમદા હેતુથી રાજય સરકાર દ્વારા જિલ્લા રોજગાર ભરતી મેળાનું આયોજન થાય છે.
જે અંતર્ગત મહીસાગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા લુણાવાડા તાલુકાના ઉકરડી શૈક્ષણિક સંકુલ ખાતે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાને જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન, સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર, લુણાવાડા ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક સહિતના અગ્રણીઓએ ખુલ્લો મુક્યો હતો.
2102 જેટલી ખાલી જગ્યાઓ માટે અમદાવાદ, વડોદરા, આણંદથી ઉપસ્થિત 18 જેટલા ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓએ રોજગારવાંછુઓ સાથે સંવાદ સાધ્યો હતો. આ મહા ભરતી મેળામાં બે હજારથી વધુ રોજગારવાચ્છું યુવા-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા.
