CM રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, વાવાઝોડા અંગે કરાઈ સમીક્ષા
Live TV
-
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષાતમાં કેબીનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં મહા વાવાઝોડુ , અને કમોસમી વરસાદ જેવા મહત્વના મુદ્દાઓ પર , ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ગુજરાત તરફ વધી રહેલા વાવાઝોડાને લઈને ગુજરાત સરકાર દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી છે.
તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડુતોને મોટા પાયે નુકસાન પહોંચ્યુ છે. આ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદના લીધે થયેલ નુકસાનમાં ખેડુતોને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત નિયમ મુજબ સર્વે કરીને વળતર ચુકવવામાં આવશે. જે ખેડૂતો પાસે પાક વિમો નથી, તેવા ખેડૂતોને કેન્દ્ર સરકારના માધ્યમથી પાકની નુક્સાની ચુકવવામાં આવશે.
