મહીસાગર જિલ્લાના મોટા સોનેલા ગામના પ્રગતિશીલ ખેડૂત શાંતિલાલ ભુલાભાઈ પટેલે પૂરું પાડ્યું બાગાયત ખેતીનું ઉદાહરણ
Live TV
-
ખેતીમાં વધારે સારો પાક લેવા માટે ,ખેડૂતો હવે આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવા લાગ્યાં છે. આ રીતે ખેતી કરવા ઉત્સુક લોકોને ,બાગાયત વિભાગ ,માર્ગદર્શન પણ આપે છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ ,મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ,મોટા સોનેલા ગામના, પ્રગતિશીલ ખેડૂત ,શાંતિલાલ ભુલાભાઈ પટેલે ,પૂરું પાડ્યું છે. તેમણે ,પોતાની એક એકર જમીનમાં ,બાગાયત વિભાગ પાસેથી આધુનિક ખેતીનું માર્ગદર્શન મેળવીને ,મૂલ્યવર્ધિત શાકભાજીની ખેતી કરી છે. સરકાર દ્વારા યોજાતા ,કૃષિ મહોત્સવ અને કૃષિ મેળામાં ભાગ લઈને, ખેડૂતો ડાંગર અને મકાઈની પરંપરાગત ખેતીની સાથે ,શાકભાજીની આધુનિક ખેતી તરફ વળ્યાં છે. જેના પગલે અઢીથી ત્રણ માસના ટૂંકાગાળામાં રૂપિયા 50થી 60 હજારની આવક મેળવે છે. શાંતિભાઈ ,કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી માહિતી મેળવીને ,ભીંડા, રીંગણની ખેતી માટે ,સમૃદ્ધ થયા છે.
