માતાના મઢમાં પદયાત્રીઓ માટે તમામ તૈયારીઓને આખરી ઓપ
Live TV
-
કચ્છના કુળદેવી મા આશાપુરાના દર્શન માટે દર વર્ષે લાખો પદયાત્રીઓ કરવા પહોંચે છે.મંદિરમાં મોબાઇલ-શ્રીફળ ન લાવવા સુચના
ગણતરીના દિવસમાં નવરાત્રિ મહોત્સવનો આરંભ થઈ જશે. નવરાત્રિ દરમિયાન કચ્છના કુળદેવી આશાપુરાના દર્શનાર્થે લાખો પદયાત્રીઓ આવતા હોવાથી પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. મુંબઈ, રાજકોટ, જામનગર, મોરબી તેમજ અન્ય જિલ્લામાંથી પદયાત્રા સંઘ નીકળી ચૂક્યા છે. ટ્રાફિક સમસ્યા ના સર્જાય તે હેતુસર રસ્તા એકમાર્ગી કરવા જિલ્લા કલેકટર જાહેરનામું પણ બહાર પાડી ચૂક્યા છે. આ વર્ષે દસ લાખ ભક્ત માતાના મઢની મુલાકાત લે તેવી શક્યતા છે. મંદિર પરિસરમાં શ્રીફળ અને મોબાઈલ ના લાવવા સૂચના અપાઈ છે. ભૂજ એસટી વિભાગ દ્વારા બસોની ફાળવણી કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવા સજ્જ છે