'મારૂં ગામ કોરોના મુકત ગામ' અભિયાન અંતર્ગત અનેક જિલ્લાઓમાં હજારો બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી
Live TV
-
આ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સને કારણે કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા ગ્રામ્ય નાગરિકોને સારવારની સાથે રહેવા-જમવાની પણ સુવિધા મળશે.
રાજ્યમાં ગ્રામીણ સ્તરે કોરોના સંક્રમણ વ્યાપક બને નહીં તે હેતુથી આગોતરા આયોજન રૂપે મુખ્યમંત્રી દ્વારા મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ડાંગના ગ્રામીણ ક્ષેત્રોના 83 સેન્ટર્સમાં 1,242 બેડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 897 કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરાયા છે. જેમાં 6,400 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સને કારણે કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા ગ્રામ્ય નાગરિકોને સારવારની સાથે રહેવા-જમવાની પણ સુવિધા મળશે.
