Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં ઓક્સિજનના 4 પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કર્યું

Live TV

X
  • જરૂરિયાત મુજબ 18 જેટલા  પ્લાન્ટ ઉભા કરાશે

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે વડોદરા ખાતે ઓક્સિજનના 4 પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કર્યું હતુ. વડોદરાના યુવા વૈષ્ણવાચાર્ય પરમ પુજ્ય વ્રજરાજકુમારજી મહોદાય દ્વારા સરકારના પ્રયાસોમાં મદદરૂપ થવા માટે વી.વાય.ઓ. સંસ્થાએ ઓક્સિજનના ચાર નવા  પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પરમ પૂજ્ય વ્રજરાજકુમારે જાહેર કર્યું હતું કે સરકાર કહેશે ત્યાં જરૂરિયાત મુજબ 18 જેટલા  પ્લાન્ટ ઉભા કરાશે. આ પ્રસંગે, વડોદરાનાં મેયર, ડેપ્યુટી મેયર, સાંસદ, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા કલેકટર, પોકિસ કમિશ્નર, ઓએસડી ડો.વિનોદ રાવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી એ  વી.વાય.ઓ. સંસ્થાને કોરોના મહામારીમાં અતિ જરૂરી એવા 4 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા માટે અભિનંદન આપ્યા હતા. ઉપરાંત 18 પ્લાન્ટ આપવાની  જાહેરાતને પણ આવકારી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply