મુખ્યમંત્રીએ સંસદ ભવન ખાતે રાજ્યના નવનિર્વાચીત સાંસદો સાથે કરી મુલાકાત
Live TV
-
નીતિઆયોગ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓની સંયુક્ત બેઠક થઈ રહી હતી. તે દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દિલ્હી ખાતે, રાજ્યના નવનિર્વાચીત સાંસદો સાથે સંસદ ભવન પ્રાંગણમાં શુભેચ્છા મુલાકાત કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે કૃષિ અને દેશના ખેડૂતો પ્રાથમિકતાના ક્રમે છે જે આ બેઠક પરથી પ્રકાશિત થાય છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાની નેમ લીધી છે. જેના ભાગરૂપે આ બેઠક યોજવામાં આવી હતી.
