મુખ્યમંત્રીએ 11 વ્યક્તિઓને ધરતી રત્ન એવોર્ડથી સન્માનીત કર્યા
Live TV
-
છેલ્લા છ વર્ષથી સમાજ માટે સારૂ કામ કરનારા વ્યક્તિઓને અમદાવાદમાં આવેલ આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ટ્રોફી અને રોકડ ઇનામ આપીને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 11 વ્યક્તિઓને ધરતી રત્ન એવોર્ડથી સન્માનવમાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે યોગ્ય કામ, યોગ્ય વ્યક્તિ કરે તો સેવાનું કોઇ કામ અટકતું નથી. સૌના સુખે સુખી, સૌના દુખે દુઃખીનો ભાવ તે ભારતીય સંસ્કૃતિમાં નિહિત થયેલ સેવાભાવ દર્શાવે છે. જેમાં ડો. સુભાષ આર. આપ્ટે, રસીકભાઇ ઇશ્વરલાલ રાવલ, ડો. સુધીર ચીમનલાલ મોદી, આશાબહેન કીર્તાપ્રસાદ ઠાકર ઉપરાંતના નામાંકિતોને સન્માનિત કરાયા છે. આ કાર્યક્રમમાં જાણીતા શિક્ષણવિદ વિદ્યુત જોશી, પદ્મશ્રી કુમારપાળ દેસાઇ, રીટાયર્ડ જસ્ટીસ જે.સી. ઉપાધ્યાય, તથા સમાજના શ્રેષ્ઠીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
