રાજકોટમાં કુલ વસ્તીના 33 ટકાથી વધુ લોકોને રસી અપાઈ
Live TV
-
રાજકોટ શહેરથી એક સારા સમાચાર સામે આવ્યા છે. વેક્સિન લેવા માટે શહેરીજનો સંપૂર્ણ જાગૃત બની વેક્સિન મુકાવી રહ્યા છે.રાજકોટ શહેરની વસ્તીના 33 ટકાથી વધુ લોકોને વેક્સિન અપાઈ ચુકી છે.રાજકોટ શહેરની વસ્તી 15 લાખ છે.જેમાં અત્યાર સુધી 5 લાખ 20 હજાર લોકો વેક્સિન લઈ ચુક્યા છે. 18 વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવી રહી છે જેમાં દરરોજ 20 હજાર લોકોને વેક્સિનેશન થઈ રહ્યું છે.મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે આવનારા 5 અઠવાડિયામાં આજ રીતે વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ રહેશે તો વધુ 5 લાખ મળી રાજકોટ શહેરમાં કુલ 10 લાખથી વધુ લોકોને વેક્સીન અપાઈ જશે.અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિને વેક્સિનની સાઈડ ઇફેક્ટ થઈ નથી.
