રાજકોટમાં રસીકરણ અભિયાન પૂરજોશમાં, વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ
Live TV
-
રાજકોટમાં રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યુ છે.રાજકોટ જિલ્લામાં વધુને વધુ લોકો કોરોનાની વેક્સિનેશન કરાવે તે માટે જાગૃતિ અભિયાનો પણ ચલાવવામાં આવી રહ્યા છે.જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યુ હતુ કે લોકોમાં વેક્સિન પ્રત્યે જાગૃતિ આવે તે માટે અલગ- અલગ ટીમો ગામડે- ગામડે ફરીને લોકોને સમજાવી રહી છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની પણ મદદ લેવામાં આવી રહી છે.આગામી દિવસોમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો અને કર્મચારીઓને સ્થળ પર જ વેક્સિન મળે તે માટેનું આયોજન પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાશે.
