રાજકોટ: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અનાજની એક ટ્રેન રાજકોટ પહોંચી
Live TV
-
રાજકોટ ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત આજ રોજ એક ટ્રેન આવી પહોંચી છે. જેમાં હરિયાણાના તોહાના થી 3300 મેટ્રિક ટન ઘઉંની બોગી રાજકોટ પહોંચી. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને એક મહિના દીઠ 1 લાખ 71 હજાર મેટ્રિક ટન અનાજ ફાળવવામાં આવ્યુ છે. તે પૈકી 50 હજાર મેટ્રિક ટન અનાજ ગુજરાતને મળ્યું છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં પુરવઠો પહોંચાડવાની કામગીરી થઇ રહી છે. આ ઘઉં રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાના લોકોમાં વહેંચવામાં આવશે.કોરોનાના કારણે અનેક ગરીબ પરિવાર સુધી કેન્દ્ર સરકાર અનાજ પૂરવઠો પહોંચાડી રહી છે
