રાજકોટ: સરકારી વકીલની અનોખી અને ઉત્કૃષ્ટ કામગીરી
Live TV
-
સમાજ અને વ્યવસાયમાં ઉત્કૃષ્ટ કામગીરીને કારણે લોકોમાં પ્રેરણામૂર્તિ બનતા હોય છે લોકો ખુબ પ્રખ્યાતિ અને નામના મેળવે છે તેવું જ એક સફળતાનું સ્વરૂપ છે રાજકોટ શહેરના સરકારી વકીલ સમીરભાઈ ખીરાએ છેલ્લા ૮ વર્ષમાં ૧ હજારથી વધુ જામીન અરજી રદ્દ કરાવી છે. જે સમગ્ર ગુજરાત રાજ્યનો પ્રથમ કિસ્સો છે. ગુજરાતભરમાં સૌથી વધુ જામીન અરજી રદ કરાવનાર એક માત્ર સરકારી વકીલ તેઓ બન્યા છે. બળાત્કાર, અપહરણ, બાળ રક્ષણ ધારો, પ્રોહીબિશન, એન્ટી કરપ્શન સહિતના મામલામાં આરોપીઓની જામીન અરજી તેમણે રદ્દ કરાવી ઉત્તમ કામગીરી કરી છે.
