રાજ્યમાં કોરોનાનાં 11,592 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 79.11 ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 11,592 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 14,931 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 79.11 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 5,47,935 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,592 કેસ નોંધાયા છે. તો 14,931 દર્દીઓ સ્વસ્થ થયા છે. આરોગ્ય વિભાગની યોગ્ય કામગીરીને કારણે રાજ્યમાં રિકવરી રેટ 79.11 ટકા પર પહોંચ્યો છે. આજે કુલ 2,07,700 વ્યકતિઓનું રસીકરણ કરવામાં આવ્યું.
સુરતમાં 1092, અમદાવાદમાં 3263, વડોદરામાં 1230, રાજકોટમાં 572 ગાંધીનગરમાં 269, મહેસાણામાં 507, ભરૂચમાં 115, જામનગર 333, જૂનાગઢમાં 514, સાબરકાંઠા 156, ભાવનગર 338, મોરબીમાં 67, અમરેલીમાં 183 કેસ નોંધાયા છે.
