રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 2,230 કેસ નોંધાયા, 7,109 દર્દીઓ થયા સાજા
Live TV
-
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 7,57,124 લોકો સાજા થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 38,703 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 544 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 38,149 સ્ટેબલ છે.
ગુજરાતમાં આજે કોરોનાનાં 2,230 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 29 દર્દીનું મૃત્યુ થયેલ છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 9790એ પહોંચ્યો છે. જ્યારે 7,109 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર વધીને 93.98 ટકાએ પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની સંખ્યા આ પ્રમાણે છે. અમદાવાદ કોર્પોરેશન 281, સુરત કોર્પોરેશન 184, વડોદરા કોર્પોરેશન 294, રાજકોટ કોર્પોરેશન 126, વડોદરા 139, કચ્છ 44, ગાંધીનગર 18, સુરત 75, રાજકોટ 58, અમરેલી 35, ખેડા 47, ભરૂચ 72, ગાંધીનગર કોર્પોરેશન 22, જામનગર કોર્પોરેશન 51, જુનાગઢ કોર્પોરેશન 42, સાબરકાંઠા 26, મોરબી 3, જુનાગઢ 78, ગીર સોમનાથ 45, મહીસાગર 39 કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 7,57,124 લોકો સાજા થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 38,703 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 544 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 38,149 સ્ટેબલ છે.
