રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 544 કોરોનાના કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સોમવારે કોરોનાના 544 કેસ નોંધાયા હતા.જ્યારે 1 હજાર 505 દર્દી સાજા થયા હતા.જેથી રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 97.23 ટકા થયો છે. વડોદરામાં 61, અમદાવાદમાં 86, સુરતમાં 60, જૂનાગઢમાં 21, રાજકોટમાં 10, જામનગરમાં 5, પંચમહાલમાં 11, ભાવનગરમાં 1, ગાંધીનગરમાં 3 અને કચ્છમાં 9 કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે 11 લોકોના મૃત્યુ થયા હતા. રાજ્યમાં 2 લાખ,78 હજાર,485 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અને અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1 કરોડ, 94 લાખ , 49 હજાર, 350 લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.
