રાજ્ય સરકાર કોઈ મૃત્યુઆંક છુપાવતી નથી- ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા
Live TV
-
ડેથ સર્ટીફિકેટના આધારે મૃત્યુના આંકડા છૂપાવાઈ રહ્યાં છે તેવા અખબારી અહેવાલો તથ્ય વિનાના. અખબારી અહેવાલમાં તુલના કરાયેલા ડેટાનું અંડર રિપોર્ટીંગ થયું છે, તેનો નથી કોઈ ચોક્કસ આધાર
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તાજેતરમાં છપાયેલા અહેવાલને ચોક્કસ આધાર વિનાનો ગણાવતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર મૃત્યું આંક છુપાવતી નથી. ડેથ સર્ટીફીકેટના આધારે મૃત્યુંના આંકડા છૂપાવાઇ રહ્યા છે તેવા અખબારી અહેવાલો તથ્ય વિનાના અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરવાની માનસિકતાથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. પરિવારમાં થતા મૃત્યુનો સમય, મરણ પ્રમાણપત્ર માટે રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્ર ઇશ્યુ થવું આ ત્રણેય અલગ-અલગ બાબતોને એક સાથે સાંકળી અહેવાલમાં કરાયેલું તારણ નિષ્કર્ષ આધાર વિનાનું છે. અખબારી અહેવાલમાં તુલના કરાયેલા ડેટાઓનું અંડર રિપોર્ટીંગ થયું છે જેનો કોઇ ચોક્કસ આધાર નથી.
