લીમડીના સરપંચ તેમજ તલાટી કમ મંત્રી દ્વારા વેકિસન લેનારને 10 ટકા વેરો માફ કરવાની જાહેરાત
Live TV
-
કોરોના વેક્સિન અંગે ગામમાં જાગૃતિ લાવવા લીમડી ગ્રામ પંચાયતના સરપંચ શીલાબેન મોરી, તલાટી કમ મંત્રી વનિતાબેન બારીયા તેમજ અન્ય સભ્યો દ્વારા વેકિસન લેનારને 10 ટકા વેરો માફ કરવાની જાહેરાત કરી છે. જે પરિવારમાં 45 વર્ષથી ઉપરના લોકોએ વેકિસનના બે ડોઝ લીધા હોય તેમને આ લાભ મળશે. દરરોજ સવારના ગ્રામ પંચાયત ખાતે જેમને વેકિસન લેવી હોય તેવા 30 વ્યક્તિઓની નોંધણી કરવામાં આવશે. જેથી લોકોએ હેરાન થવું ન પડે. આ અભિયાન 30 મે સુધી ચાલશે.
