લોકોના સુખાકારી-તંદુરસ્ત જીવન માટે સરકાર કટિબદ્ધ બની છે: નાયબ મુખ્યમંત્રી
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે મહેસાણા શહેરની પ્રાથમિક શાળા નં-7 થી રાજ્યવ્યાપી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે મહેસાણા શહેરની પ્રાથમિક શાળા નં-7 થી રાજ્યવ્યાપી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શાળા આરોગ્ય કાર્યક્રમ થકી રાજ્યના બાળકોની વિશેષ ચિંતા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં મા-વાત્સ્લ્ય અને આયુષ્યમાન ભારત યોજના થકી રાજ્યના લોકોના સુખાકારી-તંદુરસ્ત જીવન માટે સરકાર કટિબદ્ધ બની છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ હેઠળ રાજ્યમાં એક કરોડ 59 લાખ 29 હજાર 400 બાળકો જ્યારે મહેસાણા જીલ્લામાં 5 લાખ 19 હજાર 711 બાળકોની તપાસ કરવામાં આવશે, તેમજ આ અભિયાનમાં નવજાત શિશુઓથી લઈ 18 વર્ષ સુધીના તમામ બાળકોની તપાસ કરવામાં આવશે.
