શહેરમાં મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાન શરૂ થશે
Live TV
-
રાજ્ય સરકારે મારું ગામ કોરોના મુક્ત ગામના અભિયાન બાદ હવે શહેરી વિસ્તારમાં કોરોનાના કેસમાં આવી રહેલો ઘટાડો હજુ પણ ઝડપી બને તે માટે આજે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડના નામે હવે શહેરી વિસ્તારમાં કામગીરી શરુ થશે. આ અંગે વઘુ માહિતી આપતાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યની 50 ટકા વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે ત્યારે સરકારે વોટ પ્રમાણે સ્થાનિક કોર્પોરેટર તેમજ અધિકારીઓને કામગીરી સોંપી છે. જેમાં સંજીવની રથ સેનિટાઈઝેશનની કામગીરી વેકસિનેશનની કામગીરી કરવામાં આવશે જે માટે સુપરવિઝન કરવા જવાબદારી મંત્રીઓને સોંપવામાં આવી છે. આ અભિયાન આગામી 16મી મેથી શરુ થશે.
