સંતરામ મંદિરે દેવ દિવાળીની ઉજવણી
Live TV
-
ગઈકાલે દેવ દિવાળી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી હતી, જનસેવા એ જ પ્રભુસેવા મા માને છે તેવા વિશ્વપ્રસિદ્ધ એવું ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલા શ્રી સંતરામ મંદિરે પણ દેવ દિવાળી ની ઉજવણી ભવ્ય કરાઈ હતી. સાંજે એક લાખ કરતા પણ વધારે દીવડાઓ સમગ્ર મંદિરમાં તેમજ શિખર પર મૂકવામાં આવેલા હતા તેની શરૂઆત હાલના મહંત પરમ પૂજ્ય રામદાસજી મહારાજે દીપ પ્રાગટ્ય કરી બાદમાં ઉપસ્થિત ભક્તો એ દીપક પ્રગટાવ્યા હતા, અને દેવદિવાળીની ની ઉજવણી કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે પરમ પૂજ્ય અવધૂત શ્રી સંતરામ મહારાજની સમાધિ સ્થાન ના દર્શન કર્યા હતા.
