સણોસરા ગામની થઈ રહી છે કાયાપલટ, ગ્રામજનો જાતે જ બન્યા સજ્જ
Live TV
-
જાતે પ્રયાસ કરીને, મહેનત કરીને સુખી થવાનું ઘણાં ઓછા લોકોને ગમે છે. આપ અમરેલી તાલુકાના સણોસરા ગામની વાત જાણશો તો રાજી થશો. આ આખા ગામની કાયાપલટ થઈ રહી છે.
જાતે પ્રયાસ કરીને, મહેનત કરીને સુખી થવાનું ઘણાં ઓછા લોકોને ગમે છે. આપ અમરેલી તાલુકાના સણોસરા ગામની વાત જાણશો તો રાજી થશો. આ આખા ગામની કાયાપલટ થઈ રહી છે. અને આ કાયાપલટ પાછળ પણ ગ્રામજનોનો જ હાથ છે. ગ્રામજનો પોતે જ પોતાના ગામની સ્વચ્છતા અને કાયાપલટ માટે સજ્જ બન્યા છે. સણોસરાની વસતિ ૧૨૦૮ નાગરિકોની છે.
આ ગામના દરેક જ્ઞાતીના લોકો સાથે મળીને ગામની સ્વચ્છતા-વૃક્ષારોપણ અને જળસંચયના કામમાં ઉમેળકાભેર જોડાયા છે. ગામમા દાતાઓના સહયોગથી રૂપિયા ૫૦ લાખના ખર્ચે તળાવ ઉંડુ ઉતારવાનો આરંભ અગ્રણી સમાજ સેવક સવજીભાઈ ધોળકિયાના હસ્તે થયો હતો. તળાવ ઊંડુ ઉતરતા વિપુલ માત્રામાં જળસંગ્રહ થશે. આ જળસંગ્રહથી સણોસરા ગામમાં પાણીની સમસ્યા પણ સર્જાશે નહીં.