સાંઇ મંદિર સંસ્થા દ્વારા થાય છે દિવ્યાંગ લોકોના નિ:શુલ્ક લગ્ન, જાણો વિશેષ અહેવાલ
Live TV
-
આણંદના સાંઇ મંદિર દ્રારા છેલ્લા પંદર વર્ષથી દિવ્યાંગ લોકોના લગ્ન નિ:શુલ્ક કરાવી એક મોટી સમાજ સેવા કરવામાં આવી રહી છે. ત્યારે આજે શની જયંતિના પવિત્ર દિવસે બે જોડાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. કોરોના સમયની સરકારી ગાઇડલાઇનનું પાલન કરીને સારી રીતે લગ્ન કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમદાવાદનો દિકરો અને દાહોદની દિકરીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. તમામ પરિવારના સભ્યોને કલ્પના પણ ન હતી કે આટલી સારી રીતે સ્વાગત અને મહેમાનગતી કરવામાં આવશે. તેની સાથે- સાથે દિકરીને સોના ચાંદી ઘરેણા પણ આપવામાં આવ્યા હતા.
