સાતમા રાષ્ટ્રીય પુસ્તક મેળાનો CM રૂપાણીએ કરાવ્યો શુભારંભ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ ખાતે સાતમા રાષ્ટ્રીય પુસ્તકમેળાને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષથી આ મેળાને ભારે સફળતા મળી રહી છે જે રાજ્યની પ્રજાની વાંચન અંગેની રૂચિ દર્શાવે છે.
મુખ્યમંત્રીએ રાજ્યના દરેક ગામ, શાળા અને હોસ્પિટલોમાં પુસ્તકાલય બનાવવા પર પણ ભાર મૂક્યો હતો. પુસ્તક મેળો આગામી 30મી નવેમ્બર સુધી ચાલશે. મેળાના ઉદઘાટન પ્રસંગે અમદાવાદના મેયર બિજલબહેન પટેલ અને એએમસીના કમિશનર વિજય નેહરા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
