સાબરકાંઠાઃ ખેડબ્રહ્મા તાલુકાનું ગઢડા શામળાજી ગામ 100 % કોરોના મુક્ત ગામ બન્યું
Live TV
-
રાજ્યમા કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનું ગઢડા શામળાજી ગામ 100 % કોરોના મુક્ત ગામ બન્યુ છે. આ ગામમાં ગ્રામ પંચાયતના તંત્ર સાથે તલાટી, તાલુકાની આરોગ્ય ટીમની સાથે ગામના યુવકો તેમજ ગ્રામજનોના સાથ સહકારથી કોરોનાને હરાવવામાં સફળતા મળી છે. અત્યારે આ ગામમાં કોરોનાનો એકપણ એકટીવ કેસ નથી.
