સાબરમતિ નદીના કાંઠે નવનિર્મિત છઠ ઘાટનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હસ્તે લોકાર્પણ
Live TV
-
અમદાવાદના ઇન્દિરા બ્રિજ-હાંસોલ પાસે સાબરમતી નદીના તટે છઠ ઘાટ ખાતે પ્રવાસન વિભાગની સહાયથી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા 300 મીટર લંબાઈનો છઠ ઘાટ બનાવાયો.
રાજ્યભરમાં છઠ મહા પર્વની ઉજવણી અંતર્ગત અમદાવાદની સાબરમતિ નદીના કાંઠે રૂ. 11 કરોડના ખર્ચે નવનિર્મિત છઠ ઘાટનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદના ઇન્દિરા બ્રિજ-હાંસોલ પાસે સાબરમતી નદીના તટે છઠ ઘાટ ખાતે પ્રવાસન વિભાગની સહાયથી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા 300 મીટર લંબાઈનો છઠ ઘાટ બનાવાયો છે.ખાસ કરીને ગુજરાતમાં વસતા બિહાર ઝારખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશના નાગરિકો-પરિવારો છઠ મહા પર્વની પરંપરાગત ઉજવણી સાથે મળીને કરે છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ છઠ પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ નિમિત્તે વિજય રૂપાણી તેમજ સુશીલકુમાર મોદીએ ઉદ્બોધન કર્યું હતું.
