સાબરમતીના કિનારે છઠ પૂજામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જોડાયા
Live TV
-
અમદાવાદમાં સાબરમતી નદીના તટે બિહારી પરિવારોના છઠ પૂજા ઉત્સવમાં સહભાગી બનેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે, સૂર્યની આરાધનાનો આ તહેવાર 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને સાકાર કરનારો તહેવાર છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતના સમાજજીવન અને ભૂમિની ખાસિયત છે કે, સૌ સમાજ, વર્ગો અને પ્રદેશોના તહેવારો પણ ઉમંગ અને ઉત્સાહથી સાથે મળીને સામાજિક સમરસતાથી ઉજવાય છે. તેમણે જણાવ્યુ હતું કે, ગુજરાત અને બિહારની ધરતી ઐતિહાસિક સંબંધો ધરાવતી અને પ્રતાપી ભૂમિ છે. બિહાર, ઝારખંડ સહિત પૂર્વીય ઉત્તર પ્રદેશના અનેક પરિવારોએ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી છે.
