સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ, દુષ્કાળ ભૂતકાળ બનશેઃ CM રૂપાણી
Live TV
-
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ 58 માં ગુજરાત ગૌરવ દિવસે અંકલેશ્વર ના કોસમડી તળાવ થી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન નો શુભારંભ કરાવ્યો.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ 58 માં ગુજરાત ગૌરવ દિવસે અંકલેશ્વર ના કોસમડી તળાવ થી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન નો શુભારંભ કરાવતા કહ્યું કે સુજલામ સુફલામ જળ અભિયાન થી ગુજરાત પાણીના દુકાળ ને ભૂતકાળ બનાવશે.. જન જન ને વરસાદી પાણી ના સંગ્રહ સાથે પાણી ના એક એક બુંદ ને પરમેશ્વર નો પ્રસાદ માની ઉપયોગ કરવા આહવાન કર્યું હતું.. તેમણે આ જળ અભિયાન માં ગુજરાત નો પ્રત્યેક નાગરિક શ્રમદાન સમયદાન થી જોડાઈ ને યોગદાન આપે તેવો સંકલ્પ કરવા પ્રેરણા આપી હતી.. મુખ્યમંત્રી એ ઉમેર્યું કે વિકાસ જ પાણી નો આધાર છે જો પાણી નહીં હોય તો વિકાસ અસંભવ છે. તેમને જણાવ્યું કે ગુજરાત આ જળ અભિયાન થી દેશ ને નવો રાહ બતાડશે.. વિજય ભાઈ રૂપાણી એ વરસાદી પાણી ના સંગ્રહ સાથે જ વરસાદ આવે પછી મોટાપાયે વૃક્ષો વાવવા અને જળ અભિયાન દરમ્યાન નદીઓ ના કાંઠા ની સફાઈ કરી નદીઓ પુનર્જવિત કરવા પણ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ સમુદ્ર ના ખારા પાણી ને ડિસેલીનેશન પ્લાન્ટ દ્વારા પીવા લાયક મીઠા બનાવવા ના રાજ્ય સરકાર ના આયોજન તેમજ પાણી ના રી યુઝ રી સાયકલ રિડ્યુસ નાઅભિગમ ની પણ ભૂમિકા આપી હતી..