Skip to main content
Settings Settings for Dark

સુરતમાં તક્ષશીલા આગની ઘટનામાં પોલીસે 11 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી

Live TV

X
  • સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે 11 આરોપીઓ સામે 4271 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ છે. આ કેસમાં 251 લોકોને સાક્ષી બનાવવામાં આવ્યા છે તેમજ ત્રણ આરોપીઓને ભાગેડુ જાહેર કરાયા છે.

    સુરતના સરથાણા ખાતે આવેલા તક્ષશીલા આરકેડમાં 24મી મેના રોજ આગ લાગી હતી. આ ઘટનામાં 22 માસૂમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યાં હતા. આ ઘટનાને લઈને સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.

    જેમાં ઘટનાની તપાસ બાદ 2 મહિનાની અંદર સુરત ક્રાઇમ બ્રાન્ચે મહાનગર પાલિકા, અને ડીજીવીસીએલના અધિકારીઓ તેમજ કલાસીસના સંચાલક તેમજ બિલ્ડર સહિત 11 લોકોની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ સામે સોમવારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ અંગે સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે 11 આરોપીઓ સામે 4271 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ છે. આ કેસમાં 251 લોકોને સાક્ષી બનાવવામાં આવ્યા છે તેમજ ત્રણ આરોપીઓને ભાગેડુ જાહેર કરાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply