સુરત : સુમિલોન યાર્ન ફેકટરીમાં લાગી ભીષણ આગ, કારણ અકબંધ
Live TV
-
અંકલેશ્વર પાનોલી, કામરેજ સહિત ફાયરની ૮ ગાડીઓ ઘટનાસ્થળે
સુરતના કીમ નવાપરા વિસ્તારમાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ એક યાર્ન ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.આગ વધુને વધુ વિકરાળ બનતા અંકલેશ્વર પાનોલી, કામરેજ સહિત ફાયરની ૮ ગાડીઓ ઘટનાસ્થળે બોલાવી લેવાઈ હતી.અને આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો..નવાપરા વિસ્તારમાં સુમિલોન યાર્ન ફેક્ટરી આવેલી છે..જ્યાં અગમ્ય કારણોસર અચાનક ભીષણ આગની ઘટના બનવા પામી હતી..જો કે આગ કયા કારણોસર લાગી તે સામે આવી શક્યુ નથી..પણ આગના કારણે ફેક્ટરીમાં યાર્નનો કાચો માલ બળીને રાખ થઈ ગયો હતો..આ ફેક્ટરીમાં હાઈક્લોલિટી જરીના પટ્ટા બનાવવામાં આવતા હતા..જેમાં કેમિકલ વપરાય છે..જેના કારણે આગ વધુ વિકરાળ બની હતી..લાકોની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી..આ ઘટનામાં જાનહાનિના કોઈ અહેવાલ નથી..
