સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શરૂ કરાઇ પેરામેડિકલ સેવા
Live TV
-
સ્ટેચ્યુ ખાતે આરોગ્યની સેવા પણ મળી રહે તે માટે એક ડોકટર સહિત જરૂરી સાધનો સાથે સ્ટેચ્યુ નિહાળવાના સમય દરમિયાન પેરામેડીકલ ટિમ તૈનાત કરી દીધી છે
કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ત્યારે એસ્કેલેટર પરથી પડી જવાના, ડાઈરિયા થવા, ચક્કર આવવા, હદય રોગનો હુમલો થવો કે અન્ય કોઈ પણ બનાવ બને ત્યારે તબીબી સારવાર અર્થે પ્રવાસીઓને સ્ટેચ્યુ થી સીધા નજીકની હોસ્પિટલમાં દોડવું પડતું હોય છે જેના કારણે પ્રવાસીઓને ઘણી મુશ્કેલીનો સામનો પણ કરવો પડતો હોય છે. તેથી સ્ટેચ્યુ પ્રશાસને પ્રવાસીઓને મનોરંજનની સાથે સ્ટેચ્યુ ખાતે આરોગ્યની સેવા પણ મળી રહે તે માટે એક ડોકટર સહિત જરૂરી સાધનો સાથે સ્ટેચ્યુ નિહાળવાના સમય દરમિયાન પેરામેડીકલ ટિમ તૈનાત કરી દીધી છે.
