16 થી 19 મેના વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર વાવાઝોડું ફૂંકાવાની સંભાવના
Live TV
-
મધ્ય અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા 16 થી 19 મેના વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયુ છે કે આ એલર્ટ તકેદારીના ભાગ રૂપે આપવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે વાવાઝોડાથી કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. વાવાઝોડાની અસર રૂપે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો આ અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે સંભવિત વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરોને કોવિડ પ્રોટોકોલ સાથે તૈયારી કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
